વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના લોકો સાથે 'મન કી બાત' કરી હતી. મન કી બાતનો આ 93મો એપિસોડ હતો. જેમાં પીએમ મોદીએ કુનો નેશનલ પાર્કમાં આવેલા ચિતાઓથી શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે શું આપણે આ તમામ ચિત્તાઓને નામ આપવા વિશે વિચારી પણ શકીએ છીએ કે તેમાંથી દરેકને કયા નામથી બોલાવવામાં આવે. બાય ધ વે, જો આ નામકરણ પારંપરિક હોય તો ઘણું સારું રહેશે, કારણ કે આપણા સમાજ અને સંસ્કૃતિ, પરંપરા અને વારસા સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ આપણને સરળતાથી આકર્ષિત કરે છે. આ સિવાય પીએમએ ઘણા મુદ્દાઓ પર વાત કરી.