અંકિતાને પુલકીતે કીસ કરવાની કરી હતી કોશિશ
અંકિતા અને તેના મિત્ર વચ્ચેની વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સામે આવ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ અંકિતા ભંડારીની વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટને ટાંકીને કહ્યું હતું કે પુલકિત આર્યએ અંકિતા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને કિસ પણ કરી હતી. અંકિતાએ તેના મિત્રને એમ પણ કહ્યું કે નશામાં ધૂત મહેમાન તેને બળપૂર્વક ગળે લગાવી હતી. પરંતુ ત્રણ આરોપીઓમાંથી એક, પુલકિત આર્યના સહાયક અંકિત ગુપ્તાએ તેને "મામલો વધે નહીં તે માટે "આ અંગે ચૂપ રહેવા કહ્યું હતું,
અંકિતાએ તેના મિત્રને જણાવ્યુ હતુ, કેવી રીતે બનાવાયો હતો દબાવ
TOI એ અહેવાલ આપ્યો છે કે અંકિતાના મિત્રએ નામ જાહેર ન કરવાની વિનંતી કરી મામલો જણાવ્યો છે. અંકિતાની ફ્રેન્ડ વોટ્સએપ ચેટ અનુસાર, અંકિતાએ તેના મિત્રને કહ્યું હતું કે, "આજે અંકિત (પુલકિત આર્યનો આસિસ્ટન્ટ) મારી પાસે આવ્યો અને મને કહ્યું કે તે મારી સાથે કંઈક વાત કરવા માંગે છે. હું માની ગઇ અને મારા રિસેપ્શન ડેસ્ક પાસેના એક ખૂણામાં ગઇ હતી.
10 હજારમાં ખુદને વેચીશ નહી
અંકિતાએ તેના મિત્રને આગળ કહ્યું, 'ત્યાં અંકિતે મને પૂછ્યું, શું હું કોઈ મહેમાનને વિશેષ સેવા આપવા તૈયાર છું... બદલામાં મને 10 હજાર રૂપિયા આપવામાં આવશે. મેં અંકિતને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "હું ગરીબ હોઈશ, પણ હું મારી જાતને 10,000 રૂપિયામાં તમારા રિસોર્ટમાં વેચીશ નહીં."
કોઇ બીજી યુવતિ તૈયાર હોય તો કહેજે..
અંકિતા તેના મિત્રને જવાબ આપતા કહે છે, "મારો જવાબ સાંભળીને અંકિતે મને કહ્યું કે તે મને આ કરવા માટે નહીં પરંતુ કોઈ બીજી છોકરી જે કરે છે અને આ ખાસ સર્વિસ ઑફર માટે કહે છે. જો તૈયાર હોય, તો હું તેને કહે. પણ મને ખબર હતી કે અંકિત મને આ વાત ઇન-ડાયરેક્ટ કહી રહ્યો હતો. તેણે વિચાર્યું કે આ ઓફર સાંભળીને હું તૈયાર થઈ જઈશ.
સર્વિસ ના આપી તો નોકરી છીનવાઇ જશે
અન્ય એક મેસેજમાં અંકિતા ભંડારીએ તેના મિત્રને કહ્યું હતું કે પુલકિત આર્યની સૂચના પર અંકિતે તેને એકવાર કહ્યું હતું કે "જો તે રિસોર્ટના મહેમાનને વિશેષ સેવા નહીં આપે તો તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે અને બીજી છોકરીને નોકરી આપવામાં આવશે."
આ લોકો ઇચ્છે છે કે હું વેશ્યા બની જાઉ
અંકિતા ભંડારીએ તેના મિત્રને કહ્યું હતું કે, "જો અંકિત મારી પાસે ફરીથી આવી ઓફર લઈને આવશે તો હું હવે રિસોર્ટમાં કામ નહીં કરું. આ લોકો ઇચ્છે છે કે હું વેશ્યા બની જાઉં." અંકિતાના પિતા વીરેન્દ્ર ભંડારી, જેઓ તેની સાથે જોડાયાની તારીખ 28 ઓગસ્ટે રિસોર્ટમાં તેની સાથે ગયા હતા, તેમણે જણાવ્યું હતું કે શનિવારે સવારે ઋષિકેશના ચિલ્લા બેરેજમાંથી પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. તે જોઇને પરીવારનુ દીલ તુટી ગયુ હતુ.
ભણવામાં હોશીયાર હતી અંકિતા, નોકરી મળતા થઇ ગઇ હતી ખુશ
અંકિતાના પિતા વિરેન્દ્ર ભંડારી નાના ખેડૂત છે. વીરેન્દ્ર ભંડારીએ કહ્યું, "મારી દીકરીએ 12મા ધોરણમાં 88% અંક મેળવ્યા, ત્યારબાદ તે હોટેલ મેનેજમેન્ટ કરવા દેહરાદૂન ગઈ. તેણે તેના પરિવારને ટેકો આપવા માટે નોકરીની શોધ કરી અને 10,000 રૂપિયાના પગારમાં રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ બની. તે નોકરી મેળવીને ખૂબ જ ખુશ હતી અને અમે પણ તેના માતા-પિતા તરીકે ખૂબ જ ખુશ હતા.
અંકિતાના પિતા બોલ્યા- આ રાક્ષસ મારી પુત્રીને મારાથી દુર લઇ ગયા
વીરેન્દ્ર ભંડારીએ કહ્યું, "તે (અંકિતા)ને ત્યાં એક મહિનો પણ પૂરો થયો ન હતો અને આ રાક્ષસો મારી દીકરીને મારી પાસેથી લઈ ગયા." અંકિતાની માતા આંગણવાડી કાર્યકર તરીકે કામ કરે છે. તેનો મોટો ભાઈ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યો છે.