નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર : રાજકીય પક્ષો માટે મનસ્વી રીતે ડોનેશન લેવું મુશ્કેલ બની રહ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને રાજકીય પક્ષોને એક વખતના રોકડ દાનની મહત્તમ મર્યાદા 20,000 રૂપિયાથી ઘટાડીને 2,000 રૂપિયા કરવાની ભલામણ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC), રાજીવ કુમારે કાયદા મંત્રાલયને રાજકીય પક્ષોને રોકડ દાનની મર્યાદા નક્કી કરવા માટે પત્ર લખ્યો છે.
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુને લખેલા તેના પત્રમાં, CECએ રોકડ દાનને 20 ટકા અથવા રૂપિયા 20 કરોડ બેમાંથી જે ઓછું હોય તે સીમિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે કે, રાજકીય પક્ષોને મળતા કુલ દાનમાંથી રોકડ દાન વધારીને 20 ટકા અથવા વધુમાં વધુ 20 કરોડ કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા કાળા નાણામાંથી ચૂંટણી દાનને સાફ કરવા માટે બેનામી રાજકીય દાન અંગે આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુને પત્ર લખીને લોકોના પ્રતિનિધિત્વ (RP) કાયદામાં અનેક સુધારાની ભલામણ કરી છે. દરખાસ્ત મુજબ, રાજકીય પક્ષોએ 2000 રૂપિયાથી ઓછી રોકડની જાણ કરવાની જરૂર નથી. હાલમાં અમલમાં છે તે નિયમો અનુસાર, રાજકીય પક્ષોએ 20,000 રૂપિયાથી વધુના તમામ દાનને તેમના યોગદાન અહેવાલ દ્વારા જાહેર કરવું પડશે, જે ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવે છે.
ચૂંટણી પંચે તાજેતરમાં 284 ડિફોલ્ટર અને નોન-કમ્પ્લાયન્ટ રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPP)ને દૂર કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. 284 માંથી 253 થી વધુ નિષ્ક્રિય જાહેર કરવામાં આવ્યા છે.
CEC Rajiv Kumar writes to law ministry to cap cash donation to political parties
— ANI Digital (@ani_digital) September 20, 2022
Read @ANI Story | https://t.co/Wm6FJvhNw6#CEC #RajivKumar #LawMinistry pic.twitter.com/8RIGTeaokR