પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જૂની પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાની વાત કરી હતી. આજે તેમણે કહ્યું કે, મારી સરકાર જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવા માટે ચર્ચામાં છે. તેમણે કહ્યું કે મુખ્ય સચિવને આ યોજનાના અમલીકરણની શક્યતાઓનો અભ્યાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ તેમના કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
મુખ્ય પ્રધાન ભગવંત માને તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ વિશે ટ્વિટ કર્યું. તેમણે ટ્વિટમાં લખ્યું- 'મારી સરકાર જૂની પેન્શન સિસ્ટમ (OPS) પાછી લાવવાનો વિચાર કરી રહી છે. મેં મારા મુખ્ય સચિવને તેના અમલીકરણની શક્યતા અને પદ્ધતિઓનો અભ્યાસ કરવા કહ્યું છે. અમે અમારા કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ.
My government is considering reverting to the Old Pension System (OPS). I have asked my Chief Secretary to study the feasibility and modalities of it’s implementation. We stand committed to the welfare of our employees.
— Bhagwant Mann (@BhagwantMann) September 19, 2022
ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે આમ આદમી પાર્ટી દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે, જો તેમની સરકાર આવશે તો પંજાબમાં કર્મચારીઓની લાંબા સમયથી પેન્શનની માંગ પૂરી કરવામાં આવશે. આ નિર્ણયનો વહેલી તકે અમલ કરવા પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી ખુદ માન દ્વારા આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જૂની પેન્શન સિસ્ટમ (OPS)ને અગાઉની સરકારે બંધ કરી દીધી હતી.