મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન અલગ-અલગ જગ્યાએ 20 લોકોના મોત, અડધાથી વધારે ડુબ્યા

|

મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગણેશ વિસર્જન પ્રસંગે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. જેમાંથી 14-15 લોકો નદી કે કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. મુંબઈ પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટથી શરૂ થયેલો 10 દિવસનો ગણેશ ઉત્સવ શુક્રવારે તેમની મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થયો હતો.

મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે વર્ધા જિલ્લાના સાવંગીમાં ત્રણ લોકો ડૂબી ગયા છે, જ્યારે દેવલીમાં એક વ્યક્તિનું મોત થયું છે. યવતમાલ જિલ્લામાં પણ મૂર્તિ વિસર્જન દરમિયાન બે લોકોના મોત થયા છે. અહેમદનગર જિલ્લાના સુપા અને બેલવંડીમાં અલગ-અલગ ઘટનાઓમાં બે લોકો ડૂબી ગયા, જ્યારે જલગાંવમાં પણ બે લોકોના મોત થયા.

રાયગઢ જિલ્લાના પનવેલ ખાતે એક સરઘસ દરમિયાન વીજળી પડતાં નવ વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે વડઘર કોલીવાડા ખાતે પાવર જનરેટરનો કેબલ તૂટી જતાં આ ઘટના બની હતી. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

10-દિવસીય ઉત્સવ શુક્રવારે પૂરો થયા બાદ શનિવારે સવાર સુધી મુંબઈના વિવિધ જળાશયોમાં ભગવાન ગણેશની 38,000 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે શહેરમાં કેટલાક સ્થળોએ હજુ પણ વિસર્જનની સરઘસ ચાલી રહી છે.

MORE GANESH VISARJAN NEWS  

Read more about:
English summary
20 people died during Ganesh Visharan in Maharashtra
Story first published: Saturday, September 10, 2022, 18:48 [IST]