ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના કાર્યાલય ખાતે ફાઝિલ્કા જિલ્લાના પૂર પ્રભાવિત લોકોને મોટી રાહત આપીને એક લાખ રુપિયાની વળતરની રકમ તાત્કાલિક જાહેર કરવાના આદેશ આપ્યા છે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ તે અંગે ખેદ વ્યક્ત કર્યો હતો કે વર્ષ 2020માં ફાઝિલ્કા જિલ્લામાં પૂરને કારણે ભારે નુકસાન થયુ હતુ પરંતુ તત્કાલીન સરકારે લોકોને રાહત આપવા માટે કંઈ કર્યુ ન હતુ. જિલ્લાના અબોહર, અરનીવાલા અને જલાલાબાદ બ્લોકમાં પૂરને કારણે ભારે નુકસાન થયુ છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે કુલ 32 કરોડ રૂપિયામાંથી 28 કરોડ રૂપિયાના પાકને નુકસાન થયુ છે. જ્યારે બાકીના 4 કરોડ રૂપિયા ઘરો અને અન્ય સંસ્થાઓને નુકસાન થયુ છે. વિપક્ષ પર પ્રહાર કરતા મુખ્યમંત્રી માને કહ્યુ કે તત્કાલીન રાજ્ય સરકાર પૂર પ્રભાવિત લોકોને મદદ કરવાને બદલે આ મામલે ઢીલી રહી હતી જેથી અસરગ્રસ્તોને રાહત ન મળી શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ કે તત્કાલીન સરકારનુ નકારાત્મક વલણ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે લોકોને વળતર તરીકે એક પૈસો પણ આપવામાં આવ્યો ન હતો. લોકોના કલ્યાણ માટે ચિંતિત આમ આદમી પાર્ટીની સરકાર આ ઉમદા કાર્યમાં કોઈ કસર છોડશે નહિ.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મહેસૂલ વિભાગને લોકોને વળતરના વિતરણની ઔપચારિકતાઓને તાત્કાલિક પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યુ કે કોઈપણ વિલંબ વિના લોકોને વળતરનુ વિતરણ કરવુ જોઈએ. આ કામ સમયસર પૂર્ણ થવુ જોઈએ અને વિલંબ સહન કરવામાં આવશે નહિ. આ દરમિયાન ફાઝિલકા જિલ્લાના ધારાસભ્યો નરિન્દરપાલ સિંહ, અમનદીપ સિંહ અને જગદીપ કંબોજે આ નિર્ણય બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યુ કે મુખ્યમંત્રીએ ફાઝિલકાના લોકોને મોટી રાહત આપી છે જેના માટે તેઓ હંમેશા તેમના ઋણી રહેશે. ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવી રહેલી લોક તરફી અને વિકાસ તરફી પહેલની પ્રશંસા કરી હતી.