કોચ્ચિઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 સપ્ટેમ્બરે દેશના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતને નેવીમાં સામેલ કરશે તેમ સત્તાવાર સૂત્રોએ માહિતી આપી. પીએમ મોદી અહીં કોચીન શિપયાર્ડ લિમિટેડની અંદર 20,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ ભારતીય નૌકાદળમાં આ એરક્રાફ્ટ કેરિયરને સામેલ કરશે. ભારતીય નૌકાદળ દ્વારા સીએસએલ પાસેથી 28 જુલાઈના રોજ સમુદ્રી પરીક્ષણોના ચોથા અને અંતિમ તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ એરક્રાફ્ટ કેરિયરને હસ્તગત કરવામાં આવ્યુ હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં આ ઇવેન્ટ 2 સપ્ટેમ્બરે CSL જેટી પર યોજાવાની છે. ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના નિવૃત્ત કર્મચારીઓ, સંરક્ષણ મંત્રાલયો, શિપિંગ અને રાજ્ય સરકારોના અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે આ કાર્યક્રમમાં 1500-2000 લોકો આવવાની સંભાવના છે. IAC હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR)માં ભારતની સ્થિતિને મજબૂત કરશે. એરક્રાફ્ટ કેરિયર માટે ફાઈટર પ્લેન લાવવામાં આવ્યા છે. તે MiG-29K ફાઇટર એરક્રાફ્ટ, કામોવ-31 હેલિકોપ્ટર અને MH-60R મલ્ટી-રોલ હેલિકોપ્ટર ચલાવવા માટે તૈયાર છે. વિક્રાંત'ના સપ્લાય સાથે, ભારત એવા દેશોના એક જૂથમાં જોડાયુ છે જે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરની ડિઝાઇન અને બનાવવાની ક્ષમતા ધરાવે છે.
ભારતીય નૌકાદળની શાખા નેવલ ડિઝાઇન ડિરેક્ટોરેટ (DND) દ્વારા ડિઝાઇન કરાયેલ, એરક્રાફ્ટ કેરિયરનુ નિર્માણ જાહેર ક્ષેત્રની કંપની CSL દ્વારા કરવામાં આવ્યુ હતુ. તેમાં 2,300થી વધુ કોચ છે જે લગભગ 1700 લોકોના ક્રૂ માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં મહિલા અધિકારીઓને બેસવા માટે ખાસ કેબિનનો પણ સમાવેશ થાય છે. વિક્રાંતની મહત્તમ ઝડપ લગભગ 28 નોટ છે અને તેની લંબાઈ 262 મીટર છે. તે 62 મીટર પહોળુ અને 59 મીટર ઊંચુ છે. તેનુ બાંધકામ વર્ષ 2009માં શરૂ થયુ હતુ. વિક્રાંતની 'ફ્લાઈંગ ડેક' બે ફૂટબોલ મેદાન જેટલી છે. જો કોઈ વિક્રાંતના કોરિડોરમાંથી પસાર થાય તો તેણે આઠ કિલોમીટરનુ અંતર કાપવુ પડશે.