11 August Covid Update : છેલ્લા 24 કલાકમાં દેશમાં 53 લોકોના મોત, નોંધાયા આટલા કેસ

|

11 August Covid Update : દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા હજૂ પણ 1.25 લાખથી ઉપર છે, જે ચિંતાનો વિષય છે. ગુરુવારના રોજ (11 ઓગસ્ટ) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં સક્રિય (બીમાર) દર્દીઓની સંખ્યા વધીને 1,25,076 થઈ ગઈ છે.

આવા સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,299 નવા કેસ નોંધાયા છે અને 19,431 લોકો સ્વસ્થ પણ થયા છે. આ દરમિયાન 53 દર્દીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,26,730 લોકોના મોત થયા છે.

દિલ્હીમાં વધ્યો કોરોનાનો ખતરો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના 2146 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણને કારણે આઠ દર્દીઓના મોત પણ થયા છે.

રાજધાનીમાં સંક્રમણનો રેટ વધીને 17.83 થઈ ગયો છે. આવા સમયે, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 8,205 થઈ ગઈ છે. બીજી તરફ, દિલ્હીમાં ઝડપથી ફેલાતા કોરોના કેસ પાછળ Omicron નું નવું સબ-વેરિઅન્ટ BA 2.75 છે.

લોકનાયક હોસ્પિટલમાં સેમ્પલ કરાયેલા કોરોનાના જીનોમ સિક્વન્સિંગમાં ઓમિક્રોનના આ નવા પ્રકારની પુષ્ટિ થઈ છે. 90 નમૂના સબ-વેરિઅન્ટ ઓળખ માટે મોકલવામાં આવ્યા હતા.

આમાંથી મોટાભાગનામાં સબ-વેરિઅન્ટ BA 2.75 જોવા મળ્યું હતું. આ પેટા વેરિઅન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાય છે, પરંતુ જીવલેણ નથી.

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 80 ટકાનો વધારો થયો છે

મુંબઈમાં ફરી એકવાર કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ખતરનાક રીતે વધી રહેલા ચેપે ફરી એકવાર લોકોને ડરાવી દીધા છે.

વાસ્તવમાં મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 852 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, 40 દિવસ પછી આ સૌથી વધુ કેસ છે.એટલે કે છેલ્લા 24 કલાક દરમિયાન 80 ટકા કેસ વધ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 678 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1082 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 2 તેમજગાંધીનગર અને ભરૂચમાં 1-1 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5321 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,985 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,46,972 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા5321 થઇ છે. જેમાંથી 12 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,93,09,087 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.61 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 1,93,177 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.

રાજ્યમાં કુલ 11,93,09,087 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.

MORE BHAVNAGAR NEWS  

Read more about:
English summary
11 August Covid Update : 53 death and 16,299 cases reported In the last 24 hours