નવી દિલ્લીઃ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પર્વની ઉજવણી 'હર ઘર તિરંગા' ઝુંબેશ શરૂ કરીને કરવામાં આવી રહી છે. દેશની રાજધાની દિલ્લીમાં આ ખુશીમાં લોકો જોડાય તે માટે કેજરીવાલ સરકારે શુક્રવારે દિલ્લીવાસીઓને દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવવાની અપીલ કરી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હું દરેકને અપીલ કરવા માંગુ છુ કે 14 ઓગસ્ટે સાંજે 5 વાગે રાષ્ટ્રધ્વજ સાથે આપણા દેશનુ રાષ્ટ્રગીત ગાવ. દિલ્લીમાં અમે અલગ-અલગ સ્થળોએ લોકોને 25 લાખ ત્રિરંગા ઝંડા વહેંચીશુ.