7 સપ્ટેમ્બર સુધી થશે શેરડીના પાકની ચૂકવણી, પંજાબમાં ખેડૂતોએ સૂચિત પ્રદર્શન પાછુ ખેંચ્યુ

|

અમૃતસરઃ પંજાબમાં ખેડૂતો દ્વારા પ્રસ્તાવિત વિરોધને પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભગવંત માન સાથેની બેઠકમાં તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવતા ખેડૂત સંગઠને પોતાનો વિરોધ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. ખેડૂતોની મોટાભાગની માંગણીઓ સ્વીકાર્યા બાદ સૂચિત વિરોધ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઘણા ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી હતી કે તેઓ શેરડીના પેમેન્ટ સહિત ઘણા મુદ્દાઓ પર ભગવંત માન સરકાર સામે વિરોધ કરશે પરંતુ ભગવંત માને કહ્યુ કે ખેડૂતોને શેરડીનુ પેમેન્ટ 7 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે તેમની સરકારે નિર્ણય લીધો છે કે ખેડૂતો પર પરાલી સળગાવવા અને વિરોધ કરવા બદલ નોંધાયેલી FIR રદ કરવામાં આવશે. એટલુ જ નહિ મુખ્યમંત્રીએ કહ્યુ કે 5 ઓગસ્ટ સુધીમાં વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોને 5 લાખ રૂપિયાનુ વળતર આપવામાં આવશે. BKU નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યુ કે અમારી મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે. અમે અમારા પ્રદર્શનને અસ્થાયી રૂપે મુલતવી રાખ્યુ છે. અમને ખાતરી આપવામાં આવી છે કે 7 સપ્ટેમ્બર સુધીમાં બાકી ચૂકવણી કરવામાં આવશે. અમારી આગામી બેઠક 7મી સપ્ટેમ્બરે થશે.

આ પહેલા 31 જુલાઈએ પંજાબના તમામ ખેડૂતોએ ચાર કલાકનુ રેલ રોકો પ્રદર્શન કર્યુ હતુ. તેની સાથે યુનાઈટેડ કિસાન મોરચાએ દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 40 ખેડૂત સંગઠનોએ MSP લાગુ કરવાની માંગ સાથે પ્રદર્શનની વાત કરી હતી. વિરોધ કરવાનો નિર્ણય 11 જુલાઈએ લુધિયાણામાં ભારતીય કિસાન યુનિયન લખોવાલની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ સાથે યુનાઈટેડ કિસાન મોરચાએ પણ જાહેરાત કરી હતી કે અમારો ઈરાદો 3 ઓગસ્ટે આમ આદમી પાર્ટીની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાનો છે, આ પ્રદર્શન શેરડીના બાકી ચૂકવણીને લઈને હશે.

MORE BHAGWANT MANN NEWS  

Read more about:
English summary
Farmers called off their proposed protest after Bhagwant Mann accepts most of the demands.
Story first published: Wednesday, August 3, 2022, 11:37 [IST]