રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાષ્ટ્રને નામ છેલ્લું સંબોધન, આ રહ્યાં મહત્વના મુદ્દા!

By Desk
|

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. તેમને ઓફિસ છોડવાની પૂર્વસંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે તેમના કાર્યકાળ અને આ પદ સુધી પહોંચવાની યાત્રાનું વર્ણન કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે 5 વર્ષ પહેલા હું તમારા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા પ્રમુખ તરીકે ચૂંટાયો હતો. રાષ્ટ્રપતિ તરીકેનો મારો કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે. હું તમારા અને તમામ લોકોના પ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, કાનપુર દેહાત જિલ્લાના પરૌંખ ગામમાં ખૂબ જ સાદા પરિવારમાં ઉછરેલા રામનાથ કોવિંદ આજે આપ સૌ દેશવાસીઓને સંબોધી રહ્યા છે, આ માટે હું આપણા દેશની ગતિશીલ લોકતાંત્રિક વ્યવસ્થાની શક્તિને સલામ કરું છું. મારા કાર્યકાળ દરમિયાન મારા વતન ગામની મુલાકાત લેવી અને કાનપુરની મારી શાળામાં વૃદ્ધ શિક્ષકોના આશીર્વાદ મેળવવા તેમના ચરણ સ્પર્શ કરવો એ હંમેશા મારા જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંની એક બની રહેશે. આપણા મૂળ સાથે જોડાયેલા રહેવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. હું યુવા પેઢીને વિનંતી કરીશ કે તેઓ તેમના ગામ અથવા શહેર અને તેમની શાળાઓ અને શિક્ષકો સાથે જોડાયેલા રહેવાની આ પરંપરા ચાલુ રાખે.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શોને આપણા પૂર્વજો અને આપણા આધુનિક રાષ્ટ્રનિર્માતાઓએ તેમની સખત મહેનત અને સેવાની ભાવનાથી સાકાર કર્યા હતા. આપણે ફક્ત તેમના પગલે ચાલીને આગળ વધવાનું છે. મારા કાર્યકાળના પાંચ વર્ષ દરમિયાન મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ મારી ફરજો નિભાવી છે. હું ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. એસ. રાધાકૃષ્ણન અને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સહિતના મહાન વ્યક્તિઓના અનુગામી તરીકે ખૂબ સભાન રહ્યો છુ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે હું માનું છું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશના યુવાનોને તેમના વારસા સાથે જોડવાનું કામ કરશે. આપણી પ્રકૃતિ પણ ઊંડી પીડામાં છે અને આબોહવા પરિવર્તન આપણા ગ્રહને જોખમમાં મૂકે છે. આપણે આપણા બાળકો માટે આપણા પર્યાવરણ, આપણી જમીન, હવા અને પાણીની કાળજી લેવી જોઈએ.

MORE રાષ્ટ્રપતિ NEWS  

Read more about:
English summary
President Ram Nath Kovind's last address to the nation, here are the important points!
Story first published: Sunday, July 24, 2022, 21:46 [IST]