બસ પુલની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે નદીમાં પડી
ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી છે. રોડ તરફથી આવી રહેલા વાહનનેબચાવવા જતા અકસ્માત સર્જાયો હતો.
બસ પુલની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે નદીમાં પડી હતી. આ અકસ્માત ખલઘાટના જૂના પુલ પરથયો હતો.
NDRFની ટીમ પણ રાહત માટે ઘટનાસ્થળે પહોંચી
મળતી માહિતી મુજબ, ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહેલી પેસેન્જર બસ ખલઘાટ સંજય સેતુ પુલ પર સંતુલન બગડવાના કારણે 25 ફૂટ નીચેનદીમાં પડી ગઈ હતી.
ધામનોદ પોલીસ અને ખલતકા પોલીસ ઘટનાસ્થળે મોરચો સંભાળી રહી છે, ડાઇવર્સ બચાવ માટે રોકાયેલા છે.NDRFની ટીમ પણ રાહત માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ઈન્દોરના કમિશનર પવન કુમાર શર્માએ ધાર અને ખરગોનના કલેક્ટરનેઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે.
|
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
મધ્ય પ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સવારે ખરગોન-ધાર વચ્ચે સ્થિત ખલઘાટમાં બસ દુર્ઘટનાનું સંજ્ઞાન લીધું છે.
બસ ખાડીમાં પડીહોવાની માહિતી મળતા જ વહીવટી તંત્રને જલ્દી પહોંચવા સૂચના આપવામાં આવી છે.
ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી.મુસાફરો માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
|
મુખ્યમંત્રીએ SDRFને મોકલવા સૂચના આપી છે
જિલ્લા વહીવટી તંત્ર સ્થળ પર છે. મુખ્યમંત્રીએ SDRFને મોકલવા સૂચના આપી છે, આ ઉપરાંત ઘટના સ્થળે જરૂરી સાધનો મોકલવાઅને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ખરગોન, ઈન્દોર જિલ્લા વહીવટીતંત્ર સાથેસતત સંપર્કમાં છે.
|
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે શોક વ્યક્ત કર્યો
આવા સમયે, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ધાર જિલ્લાના ખલઘાટમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. સરકાર અને વહીવટીતંત્રનેબચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવા માગ કરી હતી અને લોકોને વહેલી તકે રાહત આપવા જણાવ્યું હતું.
ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જોડતા પુલ પર અકસ્માત
આ અકસ્માત આગ્રા-મુંબઈ (AB રોડ) હાઈવે પર થયો હતો. આ રોડ ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80કિલોમીટર દૂર છે. જે સંજય સેતુ પુલ પરથી બસ પડી તે બે જિલ્લા ધાર અને ખરગોનની સરહદ પર બનેલો છે. તેનો અડધો ભાગ ખલઘાટ(ધાર)માં અને અડધો ખલટાકા (ખરગોન)માં છે. ખરગોનના કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ છે
નદીમાં પડી રહેલી બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની છે, જેને એસટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બસ સવારે પૂણેથી ઈન્દોરજવા રવાના થઈ હતી.
ખાલઘાટમાં અકસ્માત પહેલા બસે 10 મિનિટનો બ્રેક લીધો હતો, ત્યારબાદ બસ ખલઘાટથી નીકળીને 10:45 વાગ્યેનર્મદામાં પડી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, સામેથી રોંગ સાઈડથી આવી રહેલા વાહનને બચાવતા સમયે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત રોકવાનો પ્રયાસ કરતી વખતે બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ પુલની રેલિંગ તોડી નદીમાં પડી હતી. બસમાં 50થીવધુ મુસાફરો સવાર હોવાનું કહેવાય છે.
|
ગૃહમંત્રીએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો
દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, ઈન્દોરથી પૂણે જઈ રહેલી મહારાષ્ટ્ર સરકારની એસટી બસધામનોદ નજીક ખલઘાટ ખાતે નર્મદા નદીમાં પડી જવાનો ખૂબ જ દુઃખદ અને દર્દનાક અકસ્માત થયો છે.
તમામ જવાબદાર વહીવટીઅધિકારીઓ અને રાહત, બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. અકસ્માતનું કારણજાણવા માટે તપાસ કરવામાં આવી રહ્યું છે.