ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ પાંચ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે પેટાચૂંટણીની તમામ સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. આમાં સૌથી વધુ ચર્ચા આઝમગઢ લોકસભા સીટની છે, જ્યાંથી અખિલેશ યાદવે રાજીનામું આપ્યું હતું. આ સીટ પર થઈ રહેલી પેટાચૂંટણીમાં ભાજપે ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને ટિકિટ આપી છે.
ઉત્તર પ્રદેશની રામપુર અને આઝમગઢ લોકસભા બેઠકો ખાલી છે, જેના પર 23 જૂને મતદાન થવાનું છે. ભાજપે રામપુરથી ઘનશ્યામ લોધીને ટિકિટ આપી છે, જ્યારે દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ અખિલેશ યાદવની બેઠક આઝમગઢથી ચૂંટણી લડશે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે આઝમગઢથી નિરહુઆને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ અખિલેશ યાદવ સામે 2 લાખ 59 હજાર મતોથી હારી ગયા હતા. આ કારણે એવું માનવામાં આવતું હતું કે પેટાચૂંટણીમાં પાર્ટી પોતાનો ઉમેદવાર બદલશે, પરંતુ ભાજપે ફરીથી ભોજપુરી સ્ટાર પર જ વિશ્વાસ વ્યક્ત કર્યો.
ત્રિપુરાની 4 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ટાઉન બોર્ડોલીથી માનિક શાહ, અગરતલાથી અશોક સિન્હા, સુરમાથી સ્વપ્ન દાસ પોલ અને જુબરાજનગરથી મલિના દેવનાથને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય ગુંડલાપલ્લી ભરત કુમાર યાદવ આંધ્ર પ્રદેશની આત્મકુર વિધાનસભા સીટથી અને ગંગોત્રી કુજુર ઝારખંડની મંદાર વિધાનસભા સીટથી મેદાનમાં છે.
રાજેશ ભાટિયાને ટિકિટ
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં મોકલ્યા છે. જેના કારણે તેમણે દિલ્હીની રાજીન્દર નગર સીટ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાં પેટાચૂંટણી પણ ચાલી રહી છે જ્યાંથી રાજેશ ભાટિયા ભાજપના ઉમેદવાર હશે.
Bharatiya Janata Party (BJP) releases its list of candidates for Lok Sabha and Vidhan Sabha by-elections.
— ANI (@ANI) June 4, 2022
Ghanshyam Lodhi and Dinesh Lal Yadav to contest from Uttar Pradesh, CM Manik Saha from Tripura, Rajesh Bhatia from Delhi and Gangotri Kujur from Jharkhand. pic.twitter.com/kbmmbbv48N