નવી દિલ્લીઃ હાલમાં દેશના મોટાભાગના મોટા શહેરો પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. દિવાળી બાદ ઘણા મેટ્રો સિટીઝમાં એર ક્વૉલિટી ઈંડેક્સ ખૂબ ઝડપથી વધ્યો છે. રાજધાની દિલ્લીમાં AQI ગંભીર શ્રેણીમાં છે. આમ તો હાલમાં ઝેરી હવામાં શ્વાસ લેવાનુ દરેક વ્યક્તિ માટે નુકશાનકારક છે પરંતુ ખાસ કરીને બાળકો માટે દમ ઘૂંટાવતી હવામાં શ્વાસ લેવુ જાનલેવા સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, હિંદુસ્તાન ટાઈમ્સના એક સમાચાર મુજબ યુનિસેફ અને વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના એક્સપર્ટનુ એ કહેવુ છે કે દૂષિત હવામાં જોવા મળતા પ્રદૂષિત કણ યુવાનોના મુકાબલે બાળકોને વધુ નુકશાન કરે છે. આ કણો બાળકોને શરીર પર વધુ હુમલો કરે છે.
પ્રદૂષિત હવામાં શ્વાસ લેતા બાળકોને થઈ શકે છે આ મુશ્કેલીઓ