• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vallabhnagar By Polls: સો જૂઠા મર્યા હશે ત્યારે અશોક ગેહલોત જન્મ્યા- કેન્દ્રીય મંત્રી

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં વલ્લભનગર અને ધરિયાવદ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે. બંને જગ્યાએ 30 ઓક્ટોબરે મતદાન થનાર છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ રાજસ્થાન પેટાચૂંટણી 2021માં એડચોટીનું જોર લગાવી દીધું છે. કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં ખુદ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ પણ ચૂંટણી સભાઓ કરી ચૂક્યા છે.

વલ્લભનગર વિધાનસભા પેટાચૂંટમીમાં ભાજપના ઉમેદવાર હિમ્મદ સિંહના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં કેન્દ્રીય ન્યાય અને વિધિ રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલે સીએમ અશોક ગેહલોત માટે અમર્યાદિત શબ્દોનો ઉપયોગ કર્યો છે.

કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બાઘેલે કહ્યું કે રાજસ્થાનમાં અશોક ગેહલોત માત્ર ઘોષણા મુખ્યમંત્રી છે. સો જૂઠું બોલનારા જે દિવસે મર્યા હશે તે દિવસે અશોક ગેહલોતનો જન્મ થયો હશે.

રાજસ્થાનમાં 60 લાખ ખેડૂતો લોન માફીની ઉમ્મીદ લગાવી બેઠા છે. યુવાનો નોકરીઓ માંગી રહ્યા છે અને તેમને લાકડીઓ મળી રહી છે. ગેહલોત સરકારના લોકો પેપર આઉટ કરાવી બેરોજગારોના અરમાનોનું ગળું દબાવી રહ્યા છે.

English summary
Vallabhnagar by polls: SP Singh Baghel used Offensive words for Ashok Gehlot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X