Rajiv Gandhi Birth Anniversary : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના 10 inspirational quotes

|

Rajiv Gandhi Birth Anniversary : આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતી છે. દર વર્ષે 'સદભાવના દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જેનો શાબ્દિક અર્થ થાય છે સુમેળ દિવસ. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944ના રોજ થયો હતો. રાજીવ ગાંધી ભારતના છઠ્ઠા વડાપ્રધાન હતા અને 40 વર્ષની ઉંમરે ભારતીય વડાપ્રધાનનું પદ સંભાળનારા સૌથી નાની વયના વડાપ્રધાન હતા. વર્ષ 1984માં રાજીવ ગાંધીએ તેમની માતા અને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.

ભારત સ્વતંત્ર થયું ત્યારે રાજીવ ગાંધી માત્ર ત્રણ વર્ષના હતા અને તેમના દાદા જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા હતા. ફિરોઝ અને ઇન્દિરા ગાંધીના બાળક રાજીવ ગાંધીની 21 મે, 1991ના રોજ ચેન્નાઈ નજીક શ્રીપેરમ્બુદુરમાં જાહેર રેલી દરમિયાન હત્યા કરવામાં આવી હતી. તેમને મરણોપરાંત ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર - ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

ભારત રત્ન રાજીવ ગાંધીની જન્મજયંતિ કોંગ્રેસ દ્વારા 'સદભાવના દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાંથી ભારતીય યુથ કોંગ્રેસના કાર્યકરો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને 'સદભાવના દિવસ' પર શ્રદ્ધાંજલિ આપશે. ફોટો પ્રદર્શન, સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમો, 'રન ફોર નેશન', રક્તદાન શિબિર જેવા અન્ય કાર્યક્રમો રાજ્ય, જિલ્લા, વિધાનસભા અને બ્લોક સ્તરે યોજાશે. IYCના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ રાજીવ ગાંધીને તેમના આધુનિક ભારતના વિઝન માટે યાદ કર્યા અને તેમને "દેશમાં માહિતી ટેકનોલોજી અને ટેલિકમ્યુનિકેશન ક્રાંતિના પિતા" ગણાવ્યા છે.

રાજીવ ગાંધીના 10 પ્રેરણાત્મક ક્વોટ્સ

"ભારત એક પૌરાણિક દેશ છે, પણ યુવાન રાષ્ટ્ર છે; અને દરેક જગ્યાએ યુવાનની જેમ આપણે અધીરા છીએ. હું યુવાન છું, અને મારું પણ એક સ્વપ્ન છે. હું ભારતના મજબૂત, સ્વતંત્ર અને આત્મનિર્ભર અને માનવજાતની સેવામાં વિશ્વના રાષ્ટ્રોના પ્રથમ ક્રમાંકનું સ્વપ્ન જોઉં છું. '' - રાજીવ ગાંધી

"કેટલાક દિવસો સુધી, લોકોએ વિચાર્યું કે, ભારત ધ્રુજી રહ્યું છે. પરંતુ એક મહાન વૃક્ષ પડે ત્યારે હંમેશા ધ્રુજારી થાય છે. " - રાજીવ ગાંધી

"મહિલાઓ એક દેશની સામાજિક અંતરાત્મા છે. તેમને આપણા સમાજોને સાથે રાખે છે. " - રાજીવ ગાંધી

"દરેક વ્યક્તિએ ઇતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ. આપણે સમજવું જોઈએ કે, દેશમાં જ્યાં પણ આંતરિક લડાઈઓ અને સંઘર્ષો થયા છે, તેનાથી દેશ નબળો પડ્યો છે. જેને કારણે, બાહ્ય ભય વધે છે. આ પ્રકારની નબળાઈને કારણે દેશને મોટી કિંમત ચૂકવવી પડશે. " - રાજીવ ગાંધી

"વિકાસ ફેક્ટરીઓ, બંધો અને રસ્તાઓ વિશે નથી. વિકાસ લોકોનો હોય છે. ધ્યેય લોકો માટે ભૌતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિપૂર્ણતા છે. વિકાસમાં માનવ પરિબળ સર્વોચ્ચ મૂલ્ય ધરાવે છે. " - રાજીવ ગાંધી

"શિક્ષણ આપણા સમાજમાં એક મહાન સમકક્ષ હોવું જોઈએ. છેલ્લાં હજારો વર્ષોથી આપણી વિવિધ સામાજિક પ્રણાલીઓએ બનાવેલા તફાવતોને સ્તર આપવાનું સાધન હોવું જોઈએ." - રાજીવ ગાંધી

"આજે આ યુનિવર્સિટી [આંબેડકર યુનિવર્સિટી] વિશે વિચારીને, આપણને મહાત્મા ગાંધીની યાદ આવે છે, કારણ કે જો ભારતમાં નબળા લોકો માટે લડનારા કોઈ હોય, તો અનુસૂચિત જાતિઓ માટે સૌપ્રથમ અવાજ ઉઠાવનારા ગાંધીજી હતા. તેમની પહેલાં સામાજિક કાર્યકર્તાઓ હતા, પરંતુ રાજકીય ક્ષેત્રે આ બાબત જેમ તેમણે કરી હતી, તેવા કોઈ પણ લોકો ન હતા. " - રાજીવ ગાંધી

-"આજે આપણું કાર્ય ભારતને એકવીસમી સદીના ઉંબરે લાવવાનું છે, ગરીબીના બોજથી મુક્ત, આપણા વસાહતી ભૂતકાળનો વારસો અને આપણા લોકોની વધતી આકાંક્ષાઓને પહોંચી વળવા સક્ષમ." - રાજીવ ગાંધી

-"દેશના વિવિધ પક્ષોના વિકાસમાં પ્રાદેશિક અસંતુલન દૂર થાય છે અને તમામ રાજ્યો સમાન રીતે પ્રગતિ કરે છે, તો અમે સુનિશ્ચિત કરીશું કે દેશના તમામ નાગરિકોને ભારતની પ્રગતિમાં તેમની શક્તિમાં યોગદાન આપવાની સંપૂર્ણ તક મળે." - રાજીવ ગાંધી

"જો ખેડૂતો નબળા થઈ જાય તો દેશ આત્મનિર્ભરતા ગુમાવે છે, પરંતુ જો તેમને મજબૂત હોય તો સ્વતંત્રતા પણ મજબૂત બને છે. જો આપણે કૃષિમાં આપણી પ્રગતિને જાળવી ન રાખીએ તો ભારતમાંથી ગરીબી દૂર કરી શકાતી નથી, પરંતુ આપણો સૌથી મોટો ગરીબી હટાવવાનો કાર્યક્રમ આપણા ખેડૂતોનું જીવનધોરણ સુધારવાનો છે. અમારા ગરીબી નાબૂદી કાર્યક્રમોનો ભાર ખેડૂતોના ઉત્થાન પર છે. " - રાજીવ ગાંધી

MORE JAWAHARLAL NEHRU NEWS  

Read more about:
English summary
raJiv Gandhi was born on August 20, 1944. Rajiv Gandhi was the sixth Prime Minister of India and the youngest Prime Minister of India at the age of 40.
Story first published: Friday, August 20, 2021, 11:11 [IST]