અમે ભારત-પાકિસ્તાન વિવાદમાં પડવા નથી માંગતા, સારા સંબંધો ઈચ્છીએ છીએ-તાલિબાન

|

અફઘાનિસ્તાનમાં હિંસા વચ્ચે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે અમે ભારત સાથે સારા અને મજબૂત સંબંધો બનાવવા માંગીએ છીએ. તમામ રાજદ્વારીઓ પણ અહીં સુરક્ષિત રહેશે. કોઈએ દેશ છોડવાની જરૂર નથી.

એક તરફ તાલિબાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાન સાથે ભારતના ચાલી રહેલા સંઘર્ષ પર તેને કંઈ કહેવાનું નથી. તાલિબાને ભારપૂર્વક કહ્યું છે કે તે ભારત-પાકિસ્તાન વિવાદમાં હસ્તક્ષેપ કરવા માંગતું નથી. બંને દેશોની પરસ્પર સમસ્યાઓ છે. તાલિબાન આમાં કોઈ ભૂમિકા ભજવશે નહીં.

એક પાડોશી તરીકે ભારતે હંમેશા કહ્યું છે કે તે લોકશાહીને મજબૂત કરવા અને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ તાલિબાનોએ પહેલનો સતત વિરોધ કર્યો છે. આ કારણોસર, જ્યારે તાલિબાન ભારત સાથે સારા સંબંધોની વાત કરે છે, ત્યારે તેના ઇરાદા પર ઘણા પ્રશ્નો ઉભા થાય છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાનના ભવિષ્ય વિશે પણ વિગતવાર વાત કરી છે. કહ્યું કે તાલિબાન શાસન હેઠળ પણ મહિલાઓને અભ્યાસની તક આપવામાં આવશે. મહિલાઓ બહાર જઈને કામ પણ કરી શકશે. શરતો માત્ર એટલી છે કે તે તમામ મહિલાઓ શરિયા કાયદાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને હિજાબ પહેરવો પડશે.

MORE TALIBAN NEWS  

Read more about:
English summary
We do not want to fall into the India-Pakistan conflict, we want good relations - the Taliban
Story first published: Monday, August 16, 2021, 13:55 [IST]