જમ્મુ-કાશ્મીરઃ આતંકી ફંડિંગ મામલે 40થી વધુ જગ્યાએ NIAના દરોડા

|

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) જમ્મુ અને કાશ્મીરમાં પોતાના સૌથી મોટાં અભિયાન અંતર્ગત આતંકી ફંડિંગ મામલે કેન્દ્ર શાસિત પ્રદેશના 14 જિલ્લાઓમાં 45 સ્થળોએ દરોડા પાડી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની મદદથી એનઆઈએના અધિકારીએઓ જમાત-એ-ઈસ્લામીના સભ્યોના આવાસ પર રેડ કરી રહ્યા છે. જમાત-એ-ઈસ્લામીને 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સમર્થક અલગાવવાદી સમર્થક ઝૂકાવના કારણોસર પ્રતિબંધિત કરી દીધું હતું.

એનઆઈએ અનંતનાગ, ડોડા, કિશ્તવાડ, રામબન, અનંતનાગ, બડગામ, રાજૌરી, ડોડા અન શોપિયાં સહિત જમ્મુ-કાશ્મીરમાં 40થી વધુ ટેકાણે દરોડા પાડી રહ્યા છે. જેમાંથી જમાત-એ-ઈસ્લામીના સભ્ય ગુલ મોહમ્મદ વારના આવાસ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

પ્રતિબંધ છતાં જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી ગતિવિધિઓના પુનરુત્થાનની તપાસ માટે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા પાડવા માટે દિલ્હીથી એક વરિષ્ઠ ડીઆઈજી અને રેડ માટે એક ટીમ રવાના કરવામાં આવી હતી.

MORE NIA NEWS  

Read more about:
English summary
Jammu and Kashmir: NIA raids at more than 40 places over terror funding
Story first published: Sunday, August 8, 2021, 9:47 [IST]