કોંગ્રેસે કોરોના રોગચાળાને લઈને મોદી સરકાર પર પ્રહાર ચાલુ રાખ્યા છે. બદલામાં બે દિવસ પહેલા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટૂલકીટનો ઉલ્લેખ કરીને એક ટ્વીટ કર્યું હતું. ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રેસ આ ટૂલકિટ દ્વારા અફવાઓ ફેલાવીને સરકારને બદનામ કરી રહી છે. જોકે, ટ્વિટરે આ ટ્વિટ પર એક મોટી કાર્યવાહી કરી છે. ઉપરાંત તેને 'મેનીપ્યુલેટેડ મીડિયા' તરીકે વર્ણવવામાં આવ્યુ છે, એટલે કે, આ ટ્વીટને તોડી મરોડી રજુ કરવામાં આવ્યુ છે.
હકીકતમાં, 18 મેના રોજ સંબિત પાત્રાએ ટ્વિટર પર એક દસ્તાવેજ શેર કર્યો હતો, જેમાં કોંગ્રેસનો લોગો હતો. તેમણે લખ્યું છે કે મિત્રો રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કોંગ્રેસની ટૂલકિટ જુએ છે. મદદ કરવાના નામે પીઆર પ્રેક્ટિસ વધુ લાગે છે. ખુદ કોંગ્રેસનો એજન્ડા વાંચો. આ ટ્વિટ પર, ટ્વિટર પર હવે પગલા લેવામાં આવ્યા છે, જેના કારણે 'તોડી મરોડીને બતાવવામાં આવેલ મીડિયા લખેલું આવી રહ્યું છે.
Friends look at the #CongressToolKit in extending help to the needy during the Pandemic!
— Sambit Patra (@sambitswaraj) May 18, 2021
More of a PR exercise with the help of “Friendly Journalists” & “Influencers” than a soulful endeavour.
Read for yourselves the agenda of the Congress:#CongressToolKitExposed pic.twitter.com/3b7c2GN0re