Assam Exit Poll Result 2021: શું આસામમાં સરકાર બચાવી શકશે ભાજપ કે ચાલશે વિપક્ષનો જાદૂ

|

ગુવાહાટીઃ કોરોના મહામારીના ભયંકર પ્રકોપ વચ્ચે ગુરુવારે પશ્ચિમ બંગાળના અંતિમ તબક્કાનુ મતદાન સમાપ્ત થઈ ચૂક્યુ છે. 2મેના રોજ પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં મતોની ગણતરી થશે અને ચૂંટણી પરિણામ ઘોષિત થશે. અન્ય રાજ્યો સાથે આસામ રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે એ તો ચૂંટણી પરિણામોની ઘોષણામાં જ નક્કી થશે.

આસામમાં ત્રણ તબક્કામાં થયેલ ચૂંટણીમાં 126 વિધાનસભા સીટોનુ પરિણામ ઘોષિત થશે. આ ચૂંટણીમાં સત્તાધારી ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. વળી, વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિત અન્ય 8 પાર્ટીઓએ પણ એડીચોટીનુ દમ લગાવી દીધુ. ચૂંટણી પરિણામ 2મેના રોજ આવશે પરંતુ આસામમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેના માટે એક્ઝીટ પોલના રૂઝાન આવવા શરૂ થઈ ચૂક્યા છે. આવો જાણીએ રાજ્યમાં ભાજપ પોતાના રાજ્યને બચાવી શકશે કે નહિ કે આ વખતે વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો જાદૂ ચાલશે. તમે એક્ઝીટ પોલથી 2મેના રોજ આવનાર પરિણામનુ અનુમાન લગાવી શકો છો.

ઈન્ડિયા ટુડેના એક્ઝીટ પોલ અનુસાર આસામમાં ભાજપ+- 48% - 75-85 સીટો પર જીત મેળવશે. વળી, કોંગ્રેસને 40 ટકા મળવા અને 40થી 50 સીટો જીત મેળવી શકે છે. વળી, અન્યને -12 ટકા વોટ મળશે અને અન્ય પાર્ટીઓ 1-4% સીટો મેળવતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આસામ વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન વચ્ચે માનવામાં આવી રહ્યો છે. ભાજપના નેતૃત્વમાં જે પાર્ટીઓ ગઠબંધનમાં છે તેમાં યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ(યુપીપીએલ) અને આસોમ ગણ પરિષદ(એજીપી) શામેલ છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધનમાં ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ(એઆઈયુડીએફ),, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી-લેનિનવાદી)લિબરેશન, આંચલિક ગણ મોરચો(એજીએમ) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રંટ(બીપીએફ) શામેલ છે.

MORE assam assembly election 2021 NEWS