100 દિવસ સુધી ચાલશે કોરોનાની બીજી લહેર
ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. એક્સપર્ટની માનીએ તો આ લહેર આવતા 100 દિવસ સુધી ચાલવાની છે અને જ્યાં સુધી 70 ટકા વસ્તીનુ વેક્સીનેશન નહિ થઈ જાય ત્યાં સુધી કોરોનાની લહેર લોકોને પરેશાન કરતી રહેશે. દક્ષિણ-પૂર્વ પોલિસ માટે એક્સપર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ જ્યારે દેશના 70 ટકા લોકો કોરોનાની રસી લગાવી લેશે ત્યારે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી થશે ત્યારબાદ જ આ લહેર ઓછી થશે.
વેક્સીન વિશે જૈવ-પ્રૌદ્યોગિકી વિભાગનુ મોટુ નિવેદન
ઘણા રાજ્યોએ કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે કે તેમની પાસે વેક્સીનની અછત છે અને સરકાર તેમના પર ધ્યાન નથી આપી રહી. વળી, જૈવ-પ્રૌદ્યોગિકી વિભાગે મીડિયાને માહિતી આપી છે કે કોવેક્સલીનના ઉત્પાદનમાં ગતિ લાવવામાં આવી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં અમે દર મહિને 100 મિલિયન એટલે કે 10 કરોડ ડોઝ તૈયાર કરવા લાગીશુ અને અમે મે-જૂન સુધી પ્રોડક્શન ડબલ કરી લઈશુ.
ઑક્સિજન સિલિન્ડરની કમી
કોરોના મહામારી દરમિયાન ચિકિત્સાના ઉપયોગ માટે ઑક્સિજનની વધતી માંગને જોતા સરકારે ઔદ્યોગિક ઉપયોગ માટે ઑક્સિજનનો પુરવઠા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે કોરોનાના કેસોમાં થઈ રહેલ વધારાને કારણે રાજ્ય ઑક્સિજનની કમીનો સામનો કરી રહ્યા છે.
ઈઝરાયલે કોરોના વાયરસ સામે જીતી જંગ! માસ્ક પહેરવામાંથી મુક્તિ