અમે નક્સલ વિરોધી અભિયાન ચાલુ રાખીશુ
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ, 'અથડામણ જે જગ્યાએ થઈ છે, તેને નક્સલીઓનો ગઢ કહેવામાં આવે છે. અમે ત્યાં સુરક્ષાબળો દ્વારા કેમ્પ લગાવવાની યોજના બનાવી હતી. લગભગ 2000 સૈનિકોને એ વિસ્તારમાં શિબિર લગાવવા માટે મોકલવામાં આવ્યા હતા જે નક્સલીઓનો ગઢ છે. આ તેમના આંદોલનના પ્રતિબંધિત કરશે, આના કારણે માઓવાદીઓ અકળાયેલા છે. આ ક્યાંયથી પણ ખુફિયા નિષ્ફળતા નહોતી. અમે નિશ્ચિત રીતે ત્યાં ફરીથી કેમ્પ લગાવીશુ અને નક્સલ વિરોધી અભિયાન ચાલુ રાખીશુ.'
ભૂપેશ બઘેલે જણાવ્યુ નક્સલીઓને કેટલુ થયુ નુકશાન
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ, 'અમને એ અંગેની સૂચના મળી છે કે નક્સલી 4 ટ્રેક્ટરમાં ઘટના સ્થળથી મૃત અને ઘાયલ નક્સલીઓને ભરીને લઈ ગયા છે. આ વાતથી તમે અંદાજો લગાવી શકો છે કે સુરક્ષાબળોએ તેમને કેટલુ નુકશાન પહોંચાડ્યુ છે.' મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે નક્સલી હુમલામાં સૂચના તંત્રના નિષ્ફળ થવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે કહ્યુ, 'આ પોલિસ શિબિર પર હુમલો નહોતો. અમે એ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. નક્સલી હવે 40 ગણા 40 વર્ગ કિલોમીટર વિસ્તારમાં સમેટાઈને રહી ગયા છે અને આ તેમની નિરાશાનુ કારણ છે. અમારુ આ અભિયાન અટકવાનુ નથી, શિબિર અને રસ્તાનુ નિર્માણ થતુ રહેશે. જવાનોનુ બલિદાન બેકાર નહિ જાય.'
CRPFએ પણ ખુફિયા વિભાગની નિષ્ફળતાનો કર્યો ઈનકાર
કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના મહાનિર્દેશક કુલદીપ સિંહ નક્સલી હુમલા બાદ સ્થિતિ પર નજર રાખવા માટે છત્તીસગઢમાં છે. કુલદીપ સિંહે કહ્યુ કે આ સમગ્ર ઑપરેશનમાં ખુફિયા વિભાગની બિલકુલ નિષ્ફળતા નહોતી. લગભગ 25-30 નક્સલીઓને પણ અમે મારી નાખ્યા છે. જો ચોક્કસ આંકડો હજુ જાણી શકાયો નથી.