ભારતમાં પાછલા 24 કલાકની અંદર કોરોનાવાયરસના 16,752 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 11,718 લોકો આ સંક્રમણથી સાજા થયા છે. જ્યારે આ સંક્રમણને કારણે ગત 24 કલાકમાં 113 લોકોનાં મોત થયાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે.
મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડાઓ મુજબ દેશમાં કોરોનાવાયરસના કુલ કેસની સખ્યા વધીને 1 કરોડ 10 લાખ 96 હજાર, 731 થઈ ગઈ છે. જ્યારે દેશમાં અત્યાર સુધી આ સંક્રમણથી મૃતકોની સંખ્યા 1 લાખ 57 હજાર, 51 સુધી પહોંચી ગઈ છે. જ્યારે ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 64 હજાર 511 છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધી 1 કરોડ, 43 લાખ, 1 હજાર 266 સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સનું રસિકરણ થઈ ચૂક્યું છે.
અક્ષય કુમારની મુસીબતો વધી, કોર્ટે નોટિસ જાહેર કરી- જાણો મામલો