દક્ષિણ ભારતના પ્રવાસે જશે પીએમ મોદી
પીએમ મોદીએ પણ પોતાના આ પ્રવાસને લઈ ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ શનિવારે રાતે ટ્વીટ કરતા લખ્યું, "14 ફેબ્રુઆરીએ ચેન્નઈ અને કોચ્ચિમાં હોઈશ. કેટલાંય વિકાસ કાર્યો શરૂ કરાશે, જે આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણથી પૂરાં કરવાની ગતિને વધારશે. પરિયોજનાઓ આપણા નાગરિકો માટે ઈઝ ઑફ લિવિંગને ઉત્તેજન આપશે"
તમિલનાડુ પર નજર?
પીએમ નરેન્દ્ર મોદી પહેલાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ તમિલનાડુમાં ચૂંટણીલક્ષી પ્રવાસ કરી ચૂક્યા છે. તે દરમ્યાન અમિત શાહનું ચેન્નઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત પણ કરાયું હતું. અમિત શાહે ત્યાં એલાન કર્યું હતું કે મુખ્યમંત્રી પીલાનીસ્વામીના નેતૃત્વમાં તેમનું ગઠબંધન તમિલનાડુમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે.
કહ્યું- આ રાજકીય પ્રવાસ નથી
વિધાનસભા ચૂંટણીને જોતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ તમિલનાડુનો બે વખત પ્રવાસ કરી ચૂક્યા છે. તે દરમ્યાન રાહુલ ગાંધીએ તમિલ સંસ્કૃતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. રિપોર્ટ મુજબ પીએમ મોદીનો આ પ્રવાસ રાજનૈતિક નથી.
ઓઈલ સંપન્ન દેશોના વલણને કારણે વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવઃ ધર્મેન્દ્ર પ્રધાન