ચક્કાજામ માટે દિલ્લીમાં રાતોરાત વધારવામાં આવી સુરક્ષા, 50 હજાર પોલિસ ફોર્સ તૈનાત, જાણો દરેક અપડેટ

|

Chakka Jaam Delhi All Update Today: કૃષિ કાયદાના વિરોધમાં નવેમ્બર 2020થી આંદોલન કરી રહેલ ખેડૂત સંગઠનોએ આજે દેશભરમાં ચક્કાજામનુ એલાન કર્યુ છે. જો કે ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે દિલ્લી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કાજામની યોજના નથી. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે દિલ્લીની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને ખેડૂતોની કહેલી વાત પર દિલ્લી પોલિસને ભરોસો નથી. માટે આજે શનિવાર (6 ફેબ્રુઆરી)એ ચક્કાજામને જોતા દિલ્લીમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. રાતોરાત દિલ્લી પોલિસે દિલ્લીમાં સુરક્ષા વધારી દીધી છે. દિલ્લી પોલિસે કહ્યુ છે કે દિલ્લી-એનસીઆર વિસ્તારમાં દિલ્લી પોલિસ, પેરામિલિટ્રી અને રિઝર્વ ફોર્સના લગભગ 50 હજાર જવાન તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ ગરબડને જોતા દિલ્લીમાં કમસે કમ 12 મેટ્રો સ્ટેશનોને બંધ કરવામાં આવી શકે છે.

દિલ્લીના આ વિસ્તારો હાઈ એલર્ટ પર

ન્યૂઝ એજન્સી એએનઆઈએ લાલ કિલ્લા, આઈટીઓ, ઈન્ડિયા ગેટ, રાજપથ, વિજય ચોક, સંસદ ભવન સહિત ઘણા વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાના ફોટા શેર કર્યા છે. સિંધુ બૉર્ડર, ગાઝીપુર બૉર્ડર અને ટીકરી બૉર્ડપ પર કાંટવાલા તારના બેરિકેડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સિધુ બૉર્ડર અને ગાઝીપુર બૉર્ડર પર વૉટર કેનન વાહનને પણ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્લીના અક્ષરધામ, જંતર-મંતર, પ્રધાનમંત્રી આવાસ, ગૃહમંત્રી અને અન્ય કેન્દ્રીય વરિષ્ઠ મંત્રીઓના આવાસની બહાર પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત માહોલ ખરાબ થવા પર સ્પેશિયલ સેલની SWAT ટીમને પણ ઈમરજન્સીની સ્થિતિમાં બોલાવવામાં આવી શકે છે.

Around 50,000 personnel of Delhi Police, Paramilitary & Reserve Forces deployed in Delhi-NCR region. At least 12 metro stations in the national capital have been put on alert for closing the entry & exit, in view of any disturbance: Delhi Police#FarmersProtest https://t.co/40jTX4M9av

— ANI (@ANI) February 6, 2021

હાઈ લેવલ બેઠકમાં દિલ્લી પોલિસને ચક્કાજામ માટે મળ્યા નિર્દેશ

26 જાન્યુઆરીએ ખેડૂત સંગઠનોએ આશ્વાસન આપવા છતાં પણ દિલ્લીમાં હિંસાને પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ. જેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલે દિલ્લી પોલિસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવ સહિત અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ચક્કાજામને જોતા નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે દિલ્લી પોલિસના બધા પ્રમુખ પ્રતિષ્ઠાનોની કડક સુરક્ષા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. દિલ્લી પોલિસને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યુ છે કે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા જેવી કોઈ ઘટના ફરીથી ન થાય. સંયુક્ત ખેડૂત મોરચાએ ચક્કાજામ કાર્યક્રમ વિશે માહિતી આપીને કહ્યુ છે કે તે દિલ્લી, યુપી અને ઉત્તરાખંડને છોડીને દેશભરમાં ત્રણ કલાક માટે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી કરવામાં આવશે.

Delhi: Extensive barricading measures undertaken at Ghazipur border with water cannon vehicles deployed, as a preemptive measure to deal with possible disturbances resulting from 'Chakka Jaam' calls by farmer unions protesting farm laws

Visuals from the Delhi side of the border pic.twitter.com/wQcfu5CTDN

— ANI (@ANI) February 6, 2021

ખેડૂત આંદોલનના સપોર્ટમાં ફરીથી સામે આવી કમલા હેરિસની ભત્રીજી

More DELHI News