For Quick Alerts
For Daily Alerts
Republic Day 2021: જાણો કેવી રીતે અલગ છે આ વખતનો ગણતંત્ર દિવસ સમારંભ
Republic Day 2021 is be very different from previous years: કોરોના સામે જંગ લડી રહેલ ભારત આજે 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે આજે દર વર્ષે રાજપથ પર ભવ્ય પરેડનુ આયોજન કરવામાં આવતુ હતુ પરંતુ આ વખતે આયોજનમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. કોરોના મહામારીના કારણે પરેડ નાની રાખવામાં આવી છે અને રાજપથ પર આ વખતે કાર્યક્રમ ઓછા રાખવામાં આવ્યા છે. આવો, જાણીએ છે કેવી રીતે અલગ છે આ વખતનો ગણતંત્ર દિવસ -
- કોરોના મહામારીના કારણે ગણતંત્ર દિવસની પરેડ નાની કરી દેવામાં આવી છે.
- દર વર્ષે આ પરેડ રાજપથથી શરૂ થઈને લાલ કિલ્લા સુધી જતી હતી પરંતુ આ વખતે આ પરેડ વિજય ચોકથી શરૂ થઈને નેશનલ સ્ટેડિયમ સુધી જશે.
- જેના કારણે આ વખતે પરેડની લંબાઈ સાડા ત્રણ કિમી હશે જ્યારે દર વર્ષે પરેડ 8 કિમી લાંબી હોય છે.
- સોશિયલ ડિસ્ટંસંગન નિયમોનુ પાલન કરીને આ વખતે પરેડમાં સેના અને નેવીના જવાનોની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે.
- આર્મી અને નેવીમાં 144 જવાનોના બદલે 96 જવાન હશે, વળી, વાયુસેનાના 94 જવાન પરેડ કરશે.
- 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને બોલાવવામાં આવ્યા નથી.
- બાળ પુરસ્કાકર મેળવનાર વીરો આ વખતે ગણતંત્ર દિવસની પરેડનો ભાગ નથી.
- ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવા પર પરેડમાં બાંગ્લાદેશની ત્રણે સેનાઓ પણ શામેલ થશે.
- ત્રણે સેનાઓની ટેંક પરેડની પહેલી 10 લાઈનોમાં હશે.
- આ વખતે ભૂતપૂર્વ સૈનિકોનુ દળ નથી.
- વાયુસેનામાં શામેલ કરવામાં આવેલુ રાફેલ ફાઈટર જેટ અહીં ઉડાન ભરશે.
- કૉમ્બેટ મિશનમાં ફાઈટર જેટ ઉડાવવા માટે ક્વૉલિફાઈ કરનાર પહેલી મહિલા ફ્લાઈટ લેફ્ટનન્ટ ભાવના કાંત ફ્લાઈ પાસ્ટમાં ભાગ લેશે.
- આર્મીના જવાનોને બાયો બબલ્સમાં રાખવામાં આવ્યા છે જ્યાં કોઈને પણ પ્રવેશ કે બહાર જવાની મંજૂરી નથી.
- ગણતંત્ર દિવસ પર પહેલી વાર ડીબીટીની ઝાંકી દેખાશે કે જે કોરોના વેક્સીન વિશે લોકોને જણાવશે.
- ગણતંત્ર દિવસ 2021 સમારંભમાં માત્ર 25,000 લોકો જ હશે. માત્ર 200 મીડિયા પ્રતિનિધિઓને મંજૂરી મળી છે.
- આ વખતે રાજપથ પર પહેલી વાર ડીબીટીની ઝાંકી દેખાશે કે જે કોરોના વેક્સીન વિશે લોકોને જણાવશે.
- દર્શકો અને પરેડમાં ભાગ લઈ રહેલા બધા લોકોએ ફેસ માસ્ક પહેરવુ જરૂરી રહેશે.
ખેડૂતોની ટ્રેક્ટર પરેડ પહેલા દિલ્લી પોલિસે બંધ કર્યો આ બ્રીજ